શૈક્ષણિક પ્રવાસ વર્ષ -૨૦૧૭/૧૮
ધૂળિયાવાસણા પ્રાથમિકશાળા માંથી સન ૨૦૧૭/૧૮ ના વર્ષના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું ..........તારીખ ૬/૧/૨૦૧૮ ને રાત્રે શાળાનાં બાળકો અને શિક્ષક ભાઈ બહેનો સૌરાષ્ટ્ર ભણી ઉપડ્યા .... ૭/૧/૨૦૧૮ ને સવારે ચોટીલા માં માં ચામુંડાના દર્શન કર્યા અને ગબ્બર ઉપર થી ચોટીલા ગામ નો અને તે વિસ્તાર નો નજારો નિહાર્યો .... ૭/૧/૨૦૧૮ ના રોજ ચોટીલાથી જલારામ વીરપુર.વિરપુરથી કાગવડ અને ત્યાંથી ગિરનાર ની તળેટીમાં શક્કરબાગ અને ઉપરકોટનો કિલ્લો જોઈ જુનાગઢ માં જ રાત્રી વિરામ લીધો .વહેલી સવારે ભવનાથ મંદિરનાં દર્શન બાદ મહાકાલનાં દર્શનાર્થે સોમનાથ જવા રવાના થયા .સોમનાથ જતા પહેલા ભાલકા તીર્થ ના દર્શન કર્યા.ત્યારબાદ સોમનાથ દરિયા કિનારાનો આનંદ લઇ સાંજે સોમનાથ દાદાનાં દર્શન કરી રાત્રી ભોજન લીધું . ૯/૧/૨૦૧૮ નાં દિવસે બગદાણા ,અલંગ બંદર ,રાજપરા ,સારંગપુર થઇ રાત્રે ૩ વાગ્યે પરત ફર્યા......










